જીવન અવધ તું પણ નથી, હું પણ નથી,
ઇશ્વર ઉપર તું પણ નથી, હું પણ નથી.
જાવું જ પડશે એક'દિ છોડી ધરા,
અજરોઅમર તું પણ નથી, હું પણ નથી.
સળગી રહ્યું છે ભીતરે કાયમ, છતાં,
ઉઠતી અગન તું પણ નથી, હું પણ નથી.
કલ્યાણ સૌનું ધ્યેયને વળગી શકે,
એવું ઝરણ તું પણ નથી, હું પણ નથી.
વનવાસ સ્વીકાર્યો અયોધ્યામાં રહી,
એવો ભરત તું પણ નથી, હું પણ નથી.
-અશોક વાવડીયા "રોચક"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો