મોત સત્ય છે...!!!
ચાલતી તારી સફરની વાત કર,
તું સતત કાં એ મરણની વાત કર ?
મોત પર તો વાદ થાશે આપણા,
જિંદગી છે તો ધરમની વાત કર.
આવશે તે તો જવાના એક દિન,
જે તું પામ્યો એ કરમની વાત કર.
પાનખર એ સત્ય જીવન અંત છે,
આ સજેલી તુજ ડગરની વાત કર.
શ્વાસ ખૂટ્યા ને નજર જાંખી હવે,
આજ"રોચક",તું ગમનની વાત કર.
-અશોક વાવડીયા,《રોચક》♥
ગાલગાગા ગાલગાગા ગાલગા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો