શનિવાર, 23 માર્ચ, 2013

ગઝલ મોત સત્ય છે...!!!

મોત સત્ય છે...!!!

ચાલતી  તારી  સફરની  વાત  કર,
તું સતત કાં એ મરણની વાત કર ?

મોત પર તો વાદ  થાશે  આપણા,
જિંદગી છે  તો  ધરમની  વાત કર.

આવશે તે તો  જવાના  એક  દિન,
જે તું પામ્યો એ કરમની  વાત કર.

પાનખર એ સત્ય જીવન  અંત છે,
આ સજેલી  તુજ ડગરની વાત કર.

શ્વાસ ખૂટ્યા ને  નજર  જાંખી  હવે,
આજ"રોચક",તું ગમનની વાત કર.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા ગાલગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો