શુક્રવાર, 19 એપ્રિલ, 2013

કોઈને કે'તા નહીં...!!!

આપણે  મળ્યા નું  કારણ કોઈને  કે'તા  નહીં,
છેક  ભીતરનું  છે  તારણ  કોઈને  કે'તા  નહીં.

પૂછશે અઢળક સવાલો,આપણા જીવન વિશે,
મૌન મુખથી હોય ધારણ  કોઈને  કે'તા  નહીં.

રૂબરૂની આપણી  વાતો  ને, અંગત  રાખવા,
લાગશે થોડું  એ  ભારણ  કોઈને  કે'તા  નહીં.

એટલા માટે મને પણ મોતનો ડર ના  રહ્યો,
તેમનું પણ શક્ય મારણ કોઈને  કે'તા  નહીં.

હા,કહેવી એક "રોચક", ખાનગી એ વાત  છે,
હર દિશાએ રાખ બારણ  કોઈને  કે'તો  નહીં.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો