શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

જીવન આવૃતિ...

જીંદગીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો  ?
જીવનમાં કરેલ તમામ ભૂલો સુધારી લેત..

બાળપણની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
બાળપણની દરેક રમત-ગમત માણી લેત..

યુવાનીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
અધુરી રહેલ સારી ઈચ્છાઓ પૂરી કરી લેત..

ઘડપણની બીજી આવ઼તિ પ્રગટ કરી શકાતી હોત તો ?
"અશોક"સર્જનહારને જરૂરથી ભજી લેત..

-અશોક વાવડીયા,

All Friends Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો