સોમવાર, 12 નવેમ્બર, 2012

મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

ખુબ સુંદર છે વનરાવન ના વૃક્ષો,
મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

નિર્મળ છે સરોવરનાં જળ અહિંયા,
મને લાગે કે સરોવરની પાળ થઈ જઉં...

ઊભા છે પવૅતો આનંદ ઉલ્હાસથી,
મને લાગે કે પવૅતોની ઉંચા થઈ જઉં...

સુયૅ પણ નમતો લાગે ગમતો અહિ,
મને લાગે કે શુભ-સંધ્યાકાળ થઈ જઉં...

મનડું કહે છે 'રોચક' વનરાજીમાં,
બસ હવે તો નાના બાળ થઈ જઉં..
હવે તો વહાલા મિત્રોની ભાળ થઈ જઉં...

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો