સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

મનોજ ખંડેરિયાથી પ્રભાવિત ગઝલ..વરસોના વરસ લાગે !!!

-મનોજ ખંડેરિયાની ગઝલથી પ્રભાવિત મારી નાની કોશીસ..

પળોને જોડવા બેસું તો વરસોના વરસ લાગે,
મુખોટો તોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તુટેલા આ બધાં આકાર હું હમણા જ દિલમાં જડુ,
અરીસો ફોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તુ સમજી જાય તો શબ્દો કહું સઘળા તને મનમાં,
ગગનમાં બોલવા બેસું તો વરસોના વરસ લાગે.

સુતરના તાંતણે જોડાય સઘળા આ નરમ દિલજો,
ધરાએ ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તને સમજાય તો સમજી જજે આ શાયરી"રોચક",
ગઝલને ખોજવા બેસું તો વરસોના વરસ લાગે.

-અશોક વાવડીયા,《રોચક》

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો