-મનોજ ખંડેરિયાની ગઝલથી પ્રભાવિત મારી નાની કોશીસ..
પળોને જોડવા બેસું તો વરસોના વરસ લાગે,
મુખોટો તોડવા બેસું તો વરસોના વરસ લાગે.
તુટેલા આ બધાં આકાર હું હમણા જ દિલમાં જડુ,
અરીસો ફોડવા બેસું તો વરસોના વરસ લાગે.
તુ સમજી જાય તો શબ્દો કહું સઘળા તને મનમાં,
ગગનમાં બોલવા બેસું તો વરસોના વરસ લાગે.
સુતરના તાંતણે જોડાય સઘળા આ નરમ દિલજો,
ધરાએ ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.
તને સમજાય તો સમજી જજે આ શાયરી"રોચક",
ગઝલને ખોજવા બેસું તો વરસોના વરસ લાગે.
-અશોક વાવડીયા,《રોચક》
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો