જિંદગી તો મર્મ છે,સમજાય તો,
હા મને પણ ગર્વ છે,સમજાય તો.
સાદગીથી જીવવામાં છે મજા,
આજ સાચો કર્મ છે,સમજાય તો.
મૌન છે શબ્દો છતા સહુ સાંભળે,
આ ખરેખર અર્થ છે,સમજાય તો.
ઉત્તરો એના જ પ્રશ્નોમાં હશે,
એક સીધો તર્ક છે,સમજાય તો.
હોય વાણી સંયમી સૌને ગમે,
એજ સાચો ધર્મ છે,સમજાય તો.
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો