સોમવાર, 17 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

લાગણીઓ ઘવાય જ્યારે,વિશ્વાસ પણ તુટે ત્યારે,
તું બતાવ મને કે,મારા આ નાજુક નમણા દિલનું શું થતું હશે..

નિંદરું છુરાવી,શમણે બંધાવી,આમ કોઈ જતું હશે,
આંખોથી દૂર થઈ જાય કોઈ,ત્યારે એકલતાનું શું થતું હશે..

દુ:ખ ભરી લાગણીઓની આદત પડી ગઈ છે મને,
પણ આંસુઓ વહાવી વહાવીનેે આ આંખોનું શું થતું હશે..

તું રહે તો મુજ હ્રદય બાગમાં સૂર્ય સમ તપતો લાગે,
તારા ગયા પછી આ મુજ મુરજાયેલા ફુંલોનું શું થતું હશે..

તું આટ-આટલી વિરહની વેદના સહી શક્યો કે,
તારો હર પળ સાથ નિભાવતો આ બાકડાનું શું થતું હશે..

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો