મને ખબર નહોતી કે,ઉકળાટ પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,જળ રૂપે આસમાનેથી ધરતી પર પડવાનું છે..
મને ખબર નહોતી કે,વરસ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,કુંપળ ફુટશે તો તને વેદના ખુબ થાવાની છે..
મને ખબર નહોતી કે,ઉગ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,હરિયાળી રૂપે જ ધરતી પર પથરાવવાનું છે..
મને ખબર નહોતી કે,હરિયાળી પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,મબલખ પાક રૂપે જ અહીં અવતરવાનું છે..
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો