શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

મને ખબર નહોતી કે !!!

મને ખબર નહોતી કે,ઉકળાટ પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,જળ રૂપે આસમાનેથી ધરતી પર પડવાનું છે..

મને ખબર નહોતી કે,વરસ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,કુંપળ ફુટશે તો તને વેદના ખુબ થાવાની છે..

મને ખબર નહોતી કે,ઉગ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,હરિયાળી રૂપે જ ધરતી પર પથરાવવાનું છે..

મને ખબર નહોતી કે,હરિયાળી પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,મબલખ પાક રૂપે જ અહીં અવતરવાનું છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો