શુક્રવાર, 7 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

રોજ પરોઢને એ જ મુંજવણ રહેતી હોય છે,
ધોમધખતા દિવસે રાતરાણીની સુગંધનું શું થતું હશે,,,

પાનખરને પોતાની નજીક આવતી જોઈને,
આ વૃક્ષો પર પીળા પડી ગયેલ પર્ણનું શું થતું હશે,,,

સાગર ભરતીની લહેર દ્વારા ઉત્પન થઈને,
પૃથ્વીનો છેડો શોધવા નીકળેલી હવાનું શું થતું હશે,,,

ગાજવીજને પવનના સુસવાટા સંભળાય છે,વરસાદમાં પેલા થાંભલે બેઠેલા કબૂતરનું શું થતું હશે,,,

ભર ઉનાળે ઝરણાનાં સુકાતા પાણીને જોઈ,
અંદર તડફડીયા મારતી આ માછલીઓનું શું થતું હશે,,,

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો