રવિવાર, 14 ઑક્ટોબર, 2012

જ્યારે તું ના મળે !!!

ઉપર આભ નીચે ધરતી મને કાંઈ સમજ ના પડે,
મનમાં એક જ આવે વિચાર તું મને આજ મળે..

ટળવળે જરૂર મારા નયન જ્યારે તું ના મળે,
દિલને દિલાસો દઉં કે શાયદ તારી યાદો મળે..

આકાશી પંખીને જઈ પૂછું કોઈ તારી ભાળ મળે,
પંખીને દઉં સંદેશો કહેજો સરોવરની પાળે મળે..

ચંદરવાની ચાંદનીમાં ખોવાણો હું રાત રાત ભર,
તને મળવાનો  એક પણ વિચાર સારો ના મળે..

"રોચક"મજધાર ડૂબી નૈયા મારી આંસુ સરી પડે,
પાર કરવાને દુ:ખનો દરિયો કોઈ કિનારો ના મળે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો