નિત્ય ક્રમ છે ઉગતો રહે તે આથમતો રહે,
બીજ એવા વાવ સદાકાળ કૂંપળ ફુટતી રહે.
કહેવત છે કે બોલે તેના જ બોર વેચાતા રહે,
તું આવાજ ઉઠાવ કે અનાદિકાળ ગુંજતી રહે.
જીવન મંત્ર છે કે ફરતો રહે તે જ ચરતો રહે,
ડગ માંડ દુનિયા તારા નક્શેકદમ ચાલતી રહે.
રેખાઓ તારા હાથની બનતી બગડતી રહે,
કર્મ એવા કર કે દુનિયા તને પૂછતી રહે.
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો