બુધવાર, 10 ઑક્ટોબર, 2012

જ્યારે જ્યારે !!!

જ્યારે જ્યારે તું મુજથી નારાજ રહે,
પ્રતિક્ષા કરતું મારું દિલ તડફડે..

જ્યારે જ્યારે તુજને કષ્ટી પડે,
સૌધાર આંસુઓ અહિ પણ વહે..

જ્યારે જ્યારે તું તારું મૌન તોડે,
મારા કાને પંખીનો કલરવ પડે..

જ્યારે જ્યારે તું મુજને યાદ કરે,
કુંણી લાગણીની કુંપળ ફુટી પડે..

-અશોક વાવડીયા,《રોચક》♥

અવસર પરિવાર સુરતને લાઈક કરવા આ લીંક પર ક્લીક કરો..

www.facebook.com/avsarparivarsurat22052011

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો