સૂર્યથી રિંસાયને રતુંબડુ મોઢુ કરી આજ,
ઉભું જોને આકાશ...................
શીદને ઢળે છે તું આજ લાગે મને મારાથી,
થયો તું નારાજ......................
નારાજગીનું કારણ કહે નહિ તો નિશાકરને,
જઈ કરું ફરિયાદ.....................
એક શરતે તને ઢળવાની પરમિશન દઉં,
પરોઢે આપે ઉજાસ.................
-અશોક વાવડીયા,《રોચક》♥
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો