તારા ગયા પછી મને,
જીવન દોયલું લાગે છે.
સાથે ચાલ્યાનો રસ્તો,
હવે ઉબડ-ખાબડ લાગે છે.
સપનાનાં એજ શહેરમાં,
જોને સુનું-સુનું લાગે છે.
જે ઘરમાં તારો સાથ રહ્યો,
ત્યાં ભૂત-ભૂતાવળ લાગે છે.
તારા થકી વસંત મુજમાં,
હવે પાનખર જેવું લાગે છે.
-અશોક વાવડીયા,《રોચક》♥
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો