રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

આટલું કરવું રહ્યું....


 

આટલું કરવું રહ્યું....

દુષ્કાળ હોય કે સુકાળ હોય,
આપણે સૌએ આટલું કરવું જ રહ્યું..

...
પાણીની પણ પડશે તીવ્ર તંગી,
પાણીને તો આપણે બચાવવું જ રહ્યું..

વૃક્ષો લાવે છે વરસાદ મિત્રો,
એક વૃક્ષ આપણે જીવનમાં વાવવું જ રહ્યું..

વરસે જો આકાશેથી અમૃત તો,
તે અમૃતને આપણે આંગણે રોકવું જ રહ્યું..

'અશોક' વરસાદ ના આવવાનું કારણ શું ?
એ કારણનું નિવારણ આપણે લાવવું જ રહ્યું..

-અશોક વાવડીયા,
૦૭/૦૮/૨૦૧૨,

અમૃત=પાણી   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો