વહેતા વનવગડાનાં વાયરાને જઈ તું પૂછ,
લાવ્યો હોય જો તારે ત્યાંની કોઈ ધુંધળી યાદ જડી આવે..
બસ હવે ચાર કદમ ચાલીને તો જોઈ લે,
ઠંડક પંહોચાડે તારા દિલને એવી કોઈ શીતળ છાય જડી આવે..
ચાલ હવે તારી આંખો બંધ કરીને જો હવે,
કદાચ તારા શમણાંમા મારી તાજી તરવરતી તસ્વીર જડી આવે..
બસ ખાઈલે એક બંગાસાનું જ અંતર છે,
પછી તો નિર્મળ કોમળ સૂર્યકિરણ ભરી વહેલી સવાર જડી આવે..
આમ આંસુના વહાવે 『રોચક』હવે,
આ વગડામાં પથરાયેલા ઝાકળને પૂછ કોઈ સાચા મોતી જડી આવે..
--અશોક વાવડીયા,『રોચક』
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો