શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

સમંદર રચાણા હશે...

નદીયુ,નાળા ત્યારે જ છલકાણા હશે,
જ્યારે ક્ષિતિજે મેઘધનુષ્ય રચાણા હશે..

આ દરિયા એમજ થોડા રચાણા હશે,
કેટલાય પહાડોનાં આંસુડા વહાણા હશે..

કોઈની લાગણીનાં ઘોડાપૂર આવ્યા હશે,
જરૂર ત્યારે જ "રોચક" સમંદર રચાણા હશે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો