ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

દિલનાં દર્દ ઉંછીના લઉં !!!

દિલના દર્દથી લાગણીની નદીયું વહેશે હવે,
લાવ બની શકેતો કોઈના ઘવાયેલા દિલનાં દર્દ ઉંછીના લઉં..

તું મનેના બોલાવે તો શું કરીશ બે દર્દી હવે,
તારા હેતનાં શમણાંને મારી લાગણીં ભીંની નજરુંમા જકડી લઉં..

આજ બિહામણી શમણાંની રાત જાય તો હવે,
હું બની એક સોનેરી કિરણ તારા આંગણાંમા ઉજાસ પાથરી દઉં..

લાવ "રોચક" તારી હથેળી એક ચાંદ દોરું હવે,
આજ કાળી અંધેરી રાતમાં તને કોમળ ચાંદનીની સૌગાત દઉં..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો