મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2012

પ્રણયઋતુ કહેવાય છે !!!!

ગરજે છે તું,ને
વરસવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

વરસે છે તું,ને
ભીંજાવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

પલળે છે તું,ને
ઓથલેવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

હા "રોચક" !!!
અધુરો છે તું,ને
પૂર્ણથવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો