ગરજે છે તું,ને
વરસવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..
વરસે છે તું,ને
ભીંજાવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..
પલળે છે તું,ને
ઓથલેવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..
હા "રોચક" !!!
અધુરો છે તું,ને
પૂર્ણથવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..
-અશોક વાવડીયા,"રોચક"
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
http://ashokvavadiya.blogspot.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો