શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

『વિચારોનું વસિયતનામું』!!!!

દરેક સુંદર કાવ્ય રચનાના !!!
લાગણી નિતરતા દરેક શબ્દોને સામેના ખોરડાનાં મોભેથી ઢાળી નેવેથી ટપ ટપ ટપકાવી દેવા,

મારા વિચારોના તણખલા !!!
ખેતરની વચ્ચો વચ્ચ આવેલ ખીજડાનાં વૃક્ષની ડાળે લટકતા સુગરીનાં માળામાં પરોવી દેવા,

રાત્રીનાં શમણાંમા આવેલ !!!
મારા સુગંધીત વિચારોને સૂર્યોદય થાતા પહેલા પેલી રાતરાણીનાં પુષ્પમાં સંતાડી દેવા,

મારા લખાયેલા કાવ્યોમાં !!!
મારા દરેક વ્હાલા મિત્રોએ લાઈક અથવા બની શકેતો કોમેન્ટ કરી સાચવીને મુકી દેવા,

-અશોક વાવડીયા, રોચક િ♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો